એક પિતા ની પુત્રી  ને શિખામણ

?જરૂર વાંચજો.

એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે?  

તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો …

બેટા, તું અહીયા શું છે? તો દિકરી એ જવાબ આપ્યો : હું અહીંયા દિકરી છું તો તેના બાપે કહ્યું કે બેટા, અહીં તું દિકરી જ છે…..પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમીકા ભજવવાની છે જો કહું (1) પત્નિ (2) દિકરી (3) મા (4) ભાભી (5) જેઠાણી કે પછી દેરાણી…  આટલા બધા તારા અંશ હશે  તો તને અહીંયા કરતા ત્યાં વધારે જણાં  સાચવશે.  પણ ……ખાલી તારા વહેવાર ઉપર બધો આધાર છે જેમ કે અહીં તું  રૂપિયા 10 ની વસ્તુ લેતા વિચારે છે કે મારા પિતા ના રૂપિયા ક્યાક હું વધારે નથી ખરચ કરતી ને તેમજ ત્યાં તારી સાસરી મા જઇ તારે તારુ અને આખા ઘર નું વિચારવાનું કે  રૂયિયા 5 નું પણ લેતા એમ વિચારજે કે હું મારા ઘર ના રૂપિયા ખોટા તો નથી વાપરતી ને પછી જોજે તારી સાસરીમાં અહીં કરતા કેમ રાખે છે? બીજું કે અહીં તો મેં તને 20 કે 25 વરસ સાચવી એટલે આતો તું ભાડુઆત હતી મારી પણ બેટા એ ઘર  તો તને આખી જીન્દગી નામ આપે છે તો ત્યાં તારે બધાને સાચવવાના છે  જો તું સાચવીશ તો તે તને 10 ગણું સાચવશે ….પિતા એ પછી કાનમાં દિકરી ને કહ્યું કે બેટા જો કોઈને કહેતી નહીં હું જે કહુ છું તે સાચું છે.

તારે જીન્દગીમાં દુ:ખી ના થવું  હોય તો તેનો મંત્ર છે આખા જીવન ભર દુ:ખ નહી આવે તો દિકરી એ કહ્યું: એવું શું છે પપ્પા? તરતજ પિતા એ કહ્યું કે 

(1) પિયર વલ્લુ ના થતી 

(2) તારી મમ્મી નુ ક્યારેય ના સાંભળતી 

(3) કંઇ પણ વાત હોય તો  સાસુ, સસરા, દિયર, નણંદ, જેઠ-જેઠાણી કે દિયર- દેરાણી બધાં સાથે બેસી ને ખુલ્લા દિલ થી વાત કરજે.

તારા જીવન મા દુ:ખ ભગવાન પણ નહીં લાવે તો બોલ બેટા અહીંયા સારું કે સાસરીયું સારું? તરત દિકરી બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી કે  જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઇ રહે તેજ મારો પરીવાર અને એજ મારા સાચા માતા-પિતા છે અને દિયર મારો નાનો ભાઇ છે, જેઠ મારા મોટા ભાઇ અને બાપ સમાન છે, દેરાણી મારી બહેન છે, જેઠાણી મારી મોટી બહેન છે અને મા સમાન છે અને નણંદ મારી લાડકી દિકરી છે.

હા, પપ્પા મને તો અહીં કરતાં ત્યાં ગણું ફાવશે …..હું આખી જીન્દગી આ યાદ રાખીશ અને દરેક દિકરી ને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવાનું છે આપણા પિયરીયાને નહીં…..?????‍?‍?‍?  

જે મજા સંપીને રહેવામાં છે તે અલગ માં નથી……

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: