નૈયા ઝુકાવી મે તો , જો જે ડૂબી જાય ના ,
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાય ના .
સ્વાર્થ નું સંગીત ચારે કોર વાગે ,
કોઈ નથી ,કોઈ નું આ દુનિયા માં આજે ,
તન નો તંબુરો જો જે બેસુરો થાય ના . ઝાંખો ઝાંખો
પાપ અને પુણ્ય ના ભેદ રે ભૂંસાતા ,
રાગ અને દ્વૈષ આજે ઘટઘટ માં ઘુંટાતા ,
જો જે આ જીવતર માં ઝેર પ્રસરાય ના . ઝાંખો ઝાંખો
શ્રદ્ધા ના દીવડા ને જલતો જ રાખજે ,
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં પુરજે ,
મન ના મંદિરીયામાં ,જો જે અંધારું થાય ના . ઝાંખો ઝાંખો