મંદિર મારા મન માં ને મસ્જીદ મારા મન માં ,
દેવળ હોય કે દેરાસર મારી ક્ષણે ક્ષણ માં ,
આકાશ ને હોતો નથી કોઈ ને કોઈ નો ભેદ ,
ઈંટ માં કદી હોતો નથી કોઈ નો પ્રભુ કેદ
હરખ શોક ના હાંસિયા એ તો આપણા પાગલપન માં
મંદિર મારા મન માં ને મસ્જીદ મારા મન માં .
નદી કોઈ ને ના કહે નહી ફોરમ ને નહી પાળ
આપણે મારું તારું કરી ભોગવીએ જંજાળ
પ્રાર્થના ,બંદગી ,નમાજ એ તો રસ્તા ત્રિભુવન ના
મંદિર મારા મન માં ને મસ્જીદ મારા મન માં
———સુરેશ દલાલ
You must log in to post a comment.