માવતર એ જ મંદીર

જીવતા માબાપ ને સ્નેહ થી સાંભળશો ,

ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવા નો શું અર્થ ?

સાથે બેસી જમવા ની ઈચ્છા એમની પ્રેમ થી પુરી કરો ,

પછી ગામ આખા ને લાડવા જમાડવા નો શું અર્થ .?

વહાલ ની વર્ષા કરનારા ને વહાલ થી ભીજવી દેજો ,

ચીર વિદાય પછી આંસુ સારવા નો શું અર્થ ?

ઘર માં બેઠેલા માબાપ રૂપી ભગવાન ને ઓળખી લેજો ,

પછી અડસઠ તીર્થ ફરવા નો શું અર્થ ?

સમય કાઢી વૃદ્ધ વડલા પડખે બેસી લેજો ,

પછી બેસણા માં ફોટા સામે બેસવા – બેસાડવા નો શું અર્થ ?

લાડકોડ પૂરનારા માબાપ ને સદાય હૈયે રાખજો ,

પછી દીવાન ખંડ માં તસ્વીર રાખવા નો શું અર્થ ?

હયાતી માં જ હૈયું એમનું ઠારી સેવા નું સુખ આપજો ,

પછી ગંગાજળ માં અસ્થી પધરાવવા નો શું અર્થ ?

‘માવતર એ જ મંદિર’ એ સનાતન સમજી રાખજો ,

પછી’ રામ નામ સત્ય છે’ બોલવા નો શું અર્થ ?


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: