મૃત્યુ

( માનવ જયારે મૃત્યુ કેરા પંજા માં સપડાય છે )

માનવ જયારે મૃત્યુ કેરા પંજા માં સપડાય છે ,ત્યારે  વાત બધી સમજાય છે ,

મોંઘુ તન અંત વેળાએ જયારે અટકી જાય છે ,ત્યારે વાત બધી સમજાય છે .

એ સમય ની વાત શું કહેવી ,કુદરત લાગે કોર્ટ જેવી ,

ખડે પગે ત્યાં જવાબ દેતા જીવડો આ અટવાય છે , ત્યારે વાત બધી સમજાય છે .

જોતાં જોતાં કાયા પલટાશે ,દુઃખ તણા ડુંગર ખડકાશે ,

વખત વીત્યાપછી ડહાપણ કેરો દરિયો ડહોળાઈ જાય છે ,ત્યારે વાત બધી સમજાય છે .

કરેલા કર્મો સિવાય અન્ય  કાંઈ ન સાથે આવશે ,

મારા તારા ની પંચાત માં ,જીવન ફોગટ માં  વહી જાય છે ,ત્યારે વાત બધી સમજાય છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: