( માનવ જયારે મૃત્યુ કેરા પંજા માં સપડાય છે )
માનવ જયારે મૃત્યુ કેરા પંજા માં સપડાય છે ,ત્યારે વાત બધી સમજાય છે ,
મોંઘુ તન અંત વેળાએ જયારે અટકી જાય છે ,ત્યારે વાત બધી સમજાય છે .
એ સમય ની વાત શું કહેવી ,કુદરત લાગે કોર્ટ જેવી ,
ખડે પગે ત્યાં જવાબ દેતા જીવડો આ અટવાય છે , ત્યારે વાત બધી સમજાય છે .
જોતાં જોતાં કાયા પલટાશે ,દુઃખ તણા ડુંગર ખડકાશે ,
વખત વીત્યાપછી ડહાપણ કેરો દરિયો ડહોળાઈ જાય છે ,ત્યારે વાત બધી સમજાય છે .
કરેલા કર્મો સિવાય અન્ય કાંઈ ન સાથે આવશે ,
મારા તારા ની પંચાત માં ,જીવન ફોગટ માં વહી જાય છે ,ત્યારે વાત બધી સમજાય છે.
Leave a Reply