આંખ માંથી તો પછી છેલ્લે નીકળતું હોય છે ,
પણ ટીપે ટીપું એનું હ્રદય માં બનતું હોય છે .
વાત નીકળી છે તો ચાલ તને એ કહી દઉં ,
એ ભલે લાગે ભીનું પણ ધગધગતું હોય છે .
કોઈ પણ ઉમર જાતિ કે પછી ધર્મ હો ,
હોય હર્ષ નુ તોય ખારાશ પડતું હોય છે .
કર પ્રયોગ , જોઈ જો ,એમ કાંઈ બનતું નથી ,
સરકે ભલે ને એ પાણી સમ ,એ સળગતું હોય છે .
શું માનવી કે ઈશ્વર બધા આમ તો સમાન છે ,
કોઈ ને જોઈ કોઈ ક્યાં સચ્ચે જ પીગળતું હોય છે .
————— ડૉ મુકેશ જોશી .
Leave a Reply