ગીતા જયંતી

કાલે ગીતા જયંતી હતી .મને સ્વામી  વિવેકાનંદ ની એક વાત યાદ આવી ગઈ જે આપ સૌ સાથે શેર કરું છું .

એકવાર સ્વામી વિવેકાનંદ પરદેશ માં એક ધર્મસભા નુ આયોજન થયું હતું ત્યાં ગયા હતા .ત્યાં અલગ અલગ ધર્મ ના અનુયાયીઓ ભેગા થયા હતા .એક જગ્યાએ પુસ્તકો એક ની ઉપર એક એમ થપ્પી માં રાખેલા હતા .આપણું ધર્મ પુસ્તક ‘ગીતા’ પણ ત્યાં હતું .એક વ્યક્તિ એ મશ્કરી ના ભાવ થી સ્વામીજી  ને કીધું કે જોયું ,તમારું ધર્મ પુસ્તક તો છેક નીચે દબાઈ ગયું .સ્વામીજી એ  ઉભા થઇ સહેજ મલકાતા સહજતા થી આપણા ‘ગીતાજી ‘જે સૌથી નીચે રાખેલ હતા તેને ખસેડી લીધા અને ઉપર ના બધા પુસ્તકો નીચે પડીગયા .સ્વામીજી એ બતાવ્યું કે ‘ગીતાજી  ‘ તો પાયો છે . બધા સ્વામીજી ની તરફ સન્માન થી જોઈ રહ્યા અને જેણે ટીખળ કર્યું હતું તે વ્યક્તિ ત્યાંથી પલાયન થઈ ગઈ .

‘ગીતાજી’ માં જીવન ની દરેક સમસ્યા નુ સમાધાન છે .સુખી જીવન ની જડીબુટ્ટી છે ‘ગીતાજી ‘.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: