ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે,
માણસ એ વખતે સાચો કલાકાર હોય છે…
દાવો કરીને જે ય કહે છે ‘હું મસ્ત છું’,
પોતાની હદ સુધી તો એ હુશિયાર હોય છે…
તુજથી પુનર્મિલનનું વચન લેવું એટલે,
સાચું કહું તો મોતને પડકાર હોય છે…
દિવાનગીની વાતને સમજી શકે ન જે,
મારી સમજ મુજબ એ સમજદાર હોય છે…
એનો સિતારો એ વિના ચમકી શકે નહીં,
સદ્ ભાગીના નસીબમાં અંધકાર હોય છે…
સમજી શક્યો છું એટલું ‘ઓજસ’ મિલન પછી,
કે વિરહ એ જ પ્રેમનો સૌ સાર હોય છે…
– ‘ઓજસ’ પાલનપુરી
Leave a Reply to Maya Raichura on FacebookCancel reply