બાજરી ના લોટ ના સકરપારા

સામગ્રી : ૧ કપ બાજરી નો લોટ , ૧/૨  કપ ઘઉં અથવા જુવાર નો લોટ , ૨-૩ ચમચી દહીં , ૧/૪ ચમચી સફેદ તલ , મીઠું સ્વાદ મુજબ ,લાલ મરચું પાવડર -૧ ચમચી , હળદર પાવડર ૧/૪ ચમચી ,૨-૩ ચમચી તેલ મોણ માટે ,ચપટી અજમો ,તળવા માટે તેલ અને મેથી ની ભાજી ૧/૨ કપ .

રીત : સૌ પ્રથમ મેથી ની ભાજી ને સારી રીતે સાફ કરી સ્વચ્છ પાણી થી ધોઈ ઝીણી સમારો . એક થાળી માં બન્ને લોટ ચાળી લો . બન્ને લોટ બરાબર મિક્સ કરો . પછી તેમાં બધા મસાલા ,અજમો ,દહીં , મેથી ની ભાજી નાખો .તેલ નું મોણ નાખો . હવે સારી રીતે બધુ મિક્સ કરી  જરૂર પૂરતું પાણી લઇ પરોઠા ના જેવો લોટ બાંધો . મોટો લુઓ લઇ લોટ લઇ મોટો રોટલો વણો અને ચાકુ થી અથવા કટર થી  ચોરસ કાપી લો અથવા મનગમતા શેપ માં કાપી લો . હવે એક કડાઈ માં તેલ ગરમ કરો અને સકરપારા તળી લો . કરકરા અને સ્વાદિષ્ટ સકરપારા તૈયાર અને પાછા પોષ્ટિક તો ખરા જ .નાસ્તા માં ગરમ ગરમ ચા અને સકરપારા નો સ્વાદ માણી  જોજો અને કેવા ટેસ્ટી લાગે છે તે મને જરૂર જણાવજો હોં !  જોકે મારા ઘર માં તો અવારનવાર નાસ્તા માં આ વાનગી બને જ છે તો પણ મને આપ સૌ નો અભિપ્રાય જાણવાની ઈચ્છા છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: