ભટકવુ નથી

લઇ કદી સરનામું મંદિરનું 

હવે મારે ભટકવું નથી,

જાણીલો, પ્રસાદ સિવાય 

ત્યાં કઈ જ મળતું નથી.
અમસ્તી થાય છે ભીડ પ્રભુ,

તારા નામથી આ કતારમાં,

થાય કસોટી તારી,

એ પગથીયું કદી ચઢવું નથી.
હશે મન સાફ, તો 

અંતરમાં બિરાજે છે તું આપોઆપ,

દીધું છે…ને દેશે જ,

ભલામણ જેવું કંઈજ કરવું નથી.
હજી માણસ જ સમજ્યો છે ક્યાં ,

માણસની ભાષા?

તારામાં લીન થાઉં,

એથી વિશેષ માણસ બનવું નથી                     
_


Posted

in

by

Comments

Leave a Reply

%d bloggers like this: