મગ ની દાળ

જો મગ ની દાળ ના ભજીયા ( દાળવડા ) નુ ખીરું વધ્યું હોય તો એમાં થોડું દહીં નાખી ઢોકળા ની થાળી ઉતારવી .ઠરે પછી નાના પીસ કરી તેલ માં રાઈ, હિંગ ,લીમડા ના પાન અને મરચા ની ચીરી ઓ  નાખી વઘાર કરી ગરમ ગરમ ખાવા ના ઉપયોગ માં લેવું .

મગ ની દાળ ના ખીરા માં ઝીણી સુધારેલી બારીક ડુંગળી ,વાટેલું લસણ ,બારી કાપેલી કોથમીર નાખી નાના પુડલા પણ બનાવી શકાય .ગ્રીન ચટણી સાથે ગરમ ગરમ પુડલા ખાવાની મઝા આવશે .

જો ઈચ્છો તો એમાં બારી કાપેલી મેથી ની ભાજી અથવા પાલક ની ભાજી પણ નાખી શકાય .

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: