Category: સુવીચાર

  • ચિંતન

    ? વિચારવા યોગ્ય ? હુ જીતી જાઉં એ જરૂરી નથી .. મારા મીત્રો ન હારે એ જરૂરી છે … ”મુજ વીતી તુજ પર વીતશે” એવું શા માટે કહેવું? “મેં માણ્યું તું પણ માણજે” એમ ના કહી શકાય?

  • સંબંધ

    બસ એ જ સંબંધો સાચા.. જેની પાસે, સ્વયં ખૂલતી હોય હ્રદયની વાચા.. ગમે ત્યાંથી સ્પર્શો, ના હોય ક્યાંય અહમ્ ના ખાંચા.. બસ એ જ સંબંધો સાચા..!

  • પથ્થર કે પગથિયું 

    ?પથ્થર  બનીને ઠેસ પહોંચાડવા  કરતાં    પગથિયું બનીને ઠેઠ પહોંચાડો..??

  • આવક જાવક

    વિચારોની આવક ઓછી હોય ત્યારે . . . શબ્દોનો બગાડ ન કરવો.

  • રકતદાન

    ​મારા બે મીઠા બોલ બોલવાથી કોઈને શેર લોહી ચડે તો … તે રક્તદાનથી વિશેષ છે…!!!

  • સદગુણો

    બધાજ સદગુણો વિનમ્રતા ના પાયા ઉપર ઉભેલા છે .

  • પ્રેમ

    પ્રેમ કરવો એટલો સરળ છે જેમ માટી ઉપર ”માટી” થી લખવું પણ પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે જેમ પાણી ઉપર”પાણી ”થી લખવું . – સ્વીટી ઠકકર

  • વિશેષ વ્યક્તિ

    વિશેષ વ્યક્તિ બનવું એ સારી વાત છે પણ સારી વ્યક્તિ બનવું એ એનાથી પણ વિશેષ વાત છે . -સ્વીટી ઠકકર

  • રત્નકણિકા

    ધીરજ ખૂટી પડે તો જાણવું કે તમે થોડી ઉતાવળ કરી . ચાલાકી દ્વારા કોઈ મહત્વ નું કાર્ય સિદ્ધ થતું નથી . નિખાલસ અને વિનય યુક્ત વાણી જ અસરકારક  હોય છે . મારાથી  આ નહી થાય એવું માની માણસ પ્રયત્ન છોડી દે ત્યારે ઘણીવાર સફળતા નજીક માં જ હોય છે .

  • સંબંધો

    સંબંધો ની માયાજાળ માં એક સંબંધ લીમડા જેવો પણ રાખવો , જે શિખામણ કડવી આપે પણ તકલીફ માં શીતલ છાંયડો પણ આપે .