લઇ કદી સરનામું મંદિરનું
હવે મારે ભટકવું નથી,
જાણીલો, પ્રસાદ સિવાય
ત્યાં કઈ જ મળતું નથી.
અમસ્તી થાય છે ભીડ પ્રભુ,
તારા નામથી આ કતારમાં,
થાય કસોટી તારી,
એ પગથીયું કદી ચઢવું નથી.
હશે મન સાફ, તો
અંતરમાં બિરાજે છે તું આપોઆપ,
દીધું છે…ને દેશે જ,
ભલામણ જેવું કંઈજ કરવું નથી.
હજી માણસ જ સમજ્યો છે ક્યાં ,
માણસની ભાષા?
તારામાં લીન થાઉં,
એથી વિશેષ માણસ બનવું નથી
_
Comments
You must log in to post a comment.