દીવાળી

દીવાળી ના તહેવાર માં ધ્યાન માં રાખવા જેવી બાબતો :

દીવાળી ના ઉત્સાહ માં આપણે એવા મશગુલ બની જઈએ છીએ કે નાની બેદરકારી કે ભૂલ ના કારણે તહેવાર નો મૂડ  બગડી જાય છે .આપણે સારીરીતે આપણો આ તહેવાર ઉજવવો હોય તો થોડું ધ્યાન રાખવું આવશ્યક છે . બહેનો ઘર ની સાફ સફાઈ કરતી વખતે કાંઈ તોડફોડ ના થાય તેનું ધ્યાન રાખે . સ્ટુલ ઉપર ચડી કામ કરતી વખતે પડી ના જવાય તેનું ધ્યાન રાખવું . મો ઉપર પાતળું કપડું બાંધી સાફ સફાઈ કરવી જેથી એલર્જી ની તકલીફ ના થાય . દરેક સભ્ય ની હેલ્થ સારી રહે માટે બને ત્યાં સુધી ઘર માં જ મીઠાઈ ,ફરસાણ બનાવવા જોઈએ .શક્ય હોય તો બહાર ની મીઠાઈ ખાવાનું ટાળો કા કે માવાની મીઠાઈ જલ્દી બગડી જાય છે ,વળી તેમાં ફૂડ કલર ,એસન્સ વાપરેલા હોય છે જે હેલ્થ ને નુકસાન કરે છે .ઘર માં લાઈટીંગ ના તોરણો લગાવવા માં પણ  ધ્યાન રાખવું બલ્બ ,વાયરિંગ .વગેરે ચેક કર્યા બાદ જ લાઈટીંગ તોરણો લગાવવા .દીવા પ્રગટાવતી વખતે પણ સાડી ના છેડા નું , દુપટ્ટા નું ધ્યાન રાખવું .ઘર માં નાના બાળકો દીવા ને અડે નહી તેવી રીતે રાખવા .ફટાકડા ફોડતી વખતે બાળકો ની સાથે ઘર ની કોઈ વડીલ વ્યક્તિ એ સાથે રહેવું ,બાળકો ને જાતજાત ના અખતરા કરવા ગમે છે  પણ ફટાકડા ફોડતી વખતે કોઈ અખતરા કે અટકચાળા ન કરવા દેવા . બાળકો તો અણસમજુ હોઈ તોફાન કરે પણ નાની એવી ભૂલ કાયમ ની મુશ્કેલી બની ન જાય તેનું ધ્યાન રાખો . ઘણી વાર રોકેટ  કોઈ ના ઘર માં જઈ ને ફૂટે છે અને આનંદ નો દિવસ શોક માં ફેરવાઈ જાય છે માટે એવા ફટાકડા ખુલ્લા મેદાન માં ફોડો . બને ત્યાં સુધી ધ્વનિપ્રદુષણ  ફેલાવે એવા ફટાકડા ફોડવાનું ટાળો . આપણા ઘર ની આજુ બાજુ કોઈ બીમાર વ્યક્તિ હોય ,તો એમને તકલીફ ના થાય તેનું ધ્યાન રાખો .

અને છેલ્લે બહુ અગત્ય ની વાત કે દીવાળી ઉજવો પણ આપણું પર્યાવરણ સચવાય એમ ઉજવો અને હા આપણાં ગરીબ ભાઈ બહેનો  , અનાથ બાલકો કે પછી નિરાધાર વડીલો ને ના ભૂલતા હોં .એમને પણ મીઠાઈ ,ફટાકડા , કપડા આપી ખુશ કરો .કા કે કોઈ ની મદદ કરી ને મન અતિ પ્રસન્ન થાય છે અને તહેવાર નો આનંદ બેવડાઈ જાય છે .તો આવો સૌ સાથે મળી ને નિર્વિઘ્ને દીવાળી ઉજવીએ .આપ સૌ ને દીવાળી ની શુભ કામના .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: