પ્રકુતિ ની વ્યથા

અરે થોભો , જરા સાંભળો , આ શું કરો છો ?અરે મારી વાત કેમ કોઈ સાંભળતું નથી? હવે હું શું કરું ? કોને કહું મારી પીડા ?આ લોકો ગાંડા થયા છે ,કોઈ  સમજતા જ નથી. પોતાનાં સ્વાર્થ માટે મને પીડી રહ્યા છે . મારા જળ ને ગંદુ કરી રહ્યા છે . મને માતા કહે છે અને મારા જલ માં ગટરો ની ગંદકી ઠાલવે છે . મારા જળ માં ફેક્ટરીઓ નું ઝેરી રસાયણ છોડી મને પ્રદુષિત કરી રહ્યા છે .કહે છે માત અને મારે છે લાત . મારા જળ ના આધારે રહેલા મારા જળના જીવો તરફડી ને મરી જાય છે . મારો સદુપયોગ કરવા ના બદલે મને નાથવા ના પ્રયત્ન કરે છે . પણ એ સમજતા નથી કે આમ કરી ને એ લોકો પોતાનાં જ પગ ઉપર કુહાડી મારી રહ્યા છે . યાત્રાળુઓ આવી ને મને વંદન તો કરે છે પણ કચરો પણ મારા માં નાખે છે .શું કોઈ બાળક પોતાની માં સાથે આવું કરે ? અને કરે તો માં સહન કરે ? પાણી અને વાણી નો દુરુપયોગ ના કરો એમ બધા કહે છે .પણ અમલ કરે છે ? આ દુષ્ટતા ના કારણે મારા જળ સુકાવા માંડ્યા છે . મારું જળ મલીન બની ગયું છે  પીવા લાયક  તો રહ્યું જ નથી .મારું જળ જે અમૃત સમાન ગણાતું એ આજે પશુ ઓ ને કામ નું નથી .મને પણ ગુસ્સો આવે છે અને એટલે જ હું મારું રુદ્ર સ્વરૂપ બતાવી ચેતવું છું .મારા તટ પર ઉભેલા આ વૃક્ષો પણ ડરે છે આ માનવી થી ,થર થર કંપે છે કે જાણે હમણા જ કોઈ આવી ને મને કાપી નાખશે . એપોકારી ને કહે છે  હું તમારો મિત્ર છું , મને કાપો નહી પણ બધા જાણે નદી, ધરતી, વૃક્ષો ના દુશ્મન બની ગયા છે .કોઈ સમજતું જ નથી ને હું બુમો પાડી ને  પોકારું છું મને બચાવો,કોઈ મારી મદદ કરો .તમે મને બચાવો હું તમને બચાવીશ . હવે મારી સહન શક્તિ  પુરી થઇ ગઈ છે  . પછી કેતા નહી કે અમને ખબર નોતી . જો નહી સમજો , નહી સુધરો તો પરિણામ માટે તૈયાર રેજો .અમે તમારી જિંદગી નું અવિભાજ્ય અંગ છે . અમારી કાળજી લેવી તમારી ફરજ છે . નવી પેઢી ને ખુશહાલ જીવન અને પ્રકૃતિ ની સુંદરતા  મળે એવું જો ઇચ્છતા હોય તો આજ થી જ અમાનવીય કૃત્યો છોડી દો . વધુ વૃક્ષો વાવો અને પાણી  નો સંગ્રહ કરો . પ્રકૃતિ એનું રુદ્ર સ્વરૂપ બતાવે એ પહેલાજ તમે એનું જતન કરો .જળ ને મલીન કરવાનું છોડો .બિચારા મૂંગા જીવો ના નિસાસા શાને લોછો ? એમને પણ આ ધરતી પર જીવવા નો હક છે  .પાંદડા અને પાણી જેનો ખોરાક છે એ કેમ બગાડો છો? હજુ સમય છે સમજી જાવ . નહી તો આવતી પેઢી  આ દુશકૃત્ય માટે તમને  ગુને ગાર માનશે અને તમારી પાસે એનો જવાબ નહી હોય . કદાચ એવું પણ બને કે પ્રદુષિત પર્યાવરણ ને કારણે દરેક ઘર માં રોગીષ્ટ અથવા ખોડ વાળું બાળક જન્મે . મારું કામ હતું તમને સમજાવાનું  .હવે તમારે વિચારવાનું.

પ્રકૃતિ માં નું સ્વરૂપ  છે . માં ના પ્રેમ નો આનંદ લેવાય ,માં ને બરબાદ ના કરાય .

હે !રામ કૃષ્ણ તમારી ગંગા જમુના મેલી થઈ ગઈ ,આ માનવી ની કુબુદ્ધિ ને લીધે .

આમ કહીપ્રકૃતિ એ પોંતા ની હૈયાવરાળ ઠાલવી.પોતાની વ્યથા વર્ણવી .કા કે એને હજુ માનવી માં થોડો વિશ્વાસ છે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply