વિધિ ના લખિયા લલાટે લેખ ,ઠોકર ખાય …ખાય …ખાય …
શ્રવણ કાવડ લઈ ને ફરતો ,સેવા માતપિતા ની કરતો ,
તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો જાય …જાય …જાય …
તરસ માતપિતાની છીપવા , શ્રવણ જાયે પાણી ભરવા ,
ઘડુલો ભરતા મૃગ ના જેવો શબ્દ થાય …થાય …થાય …
દશરથ રાજા મૃગયા રમવા આવે , મૃગલું જાણી બાણ ચડાવે ,
બાણ થી શ્રવણ ના જીવ જાય , છોડી કાય …કાય …કાય …
અંધ માતપિતા ટળવળતા , દીધો શ્રાપ જ મરતા મરતાં ,
મરજો દશરથ પુત્ર વિયોગે , ટળવળતા હાય …હાય …હાય …
જયારે રામજી વન સંચરિયા ,દશરથ પુત્ર વિયોગે મરીયા ,
‘અમરતગર ‘ કહે દુઃખ ના દરિયા ઉભરાઇ જાય …જાય …જાય
વિધિ ના લાખિયા લલાટે લેખ ,ઠોકર ખાય …ખાય …ખાય .
Leave a Reply