“કેમ શાકમાં મીઠું વધારે પડ્યું ?”

આજ ઘર બધાનાં માથે ચઢ્યું,
કેમ કે શાકમાં મીઠું વધારે પડ્યું..

કો’કનું કંઈક મોં બગડ્યું,
તો કો’કે વળી અન્ન છાંડ્યું..

ને કો’ક તો રીતસરનું લડી જ પડ્યું,
કેમ કે શાકમાં મીઠું વધારે પડ્યું..

સ્હેજે ખારાશ વધી,
એમાં તો મનેય જાણે ખટાયું..
પણ ના જાણ્યું કોઈએ,
કે કેમ કરીને આવું બન્યું..

બહુ સાચવ્યું, તોયે એ સાચવી ના શકી,
ને એક આંસું, સીધું શાકમાં પડ્યું..

લાગણીની વાત ના કરશો,
સાહેબ !
અહીં તો બસ,
શાકમાં મીઠું વધારે પડ્યું..

લાગણી જો સમજાય
તો મનને પૂછજો કે
“ક્યાંક અન્નપૂર્ણાનું મન દુભાયું ?”

..ને જો કયારેક એમ બને
તોયે પ્રેમથી જમીને
અંતરમાં ખંખોળજો કે..

કેમ શાકમાં મીઠું વધારે પડ્યું ?”

— જિજ્ઞાસા ના આભાર સહ


Posted

in

by

Tags:

Comments

Leave a Reply