રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના ,થોડા અમે મૂંઝાઈ મન માં મારી જવાના ,
નિજ મસ્ત બની જીવન પૂરું કરી જવાના ,બિંદુ મહી ડૂબી ને સિંધુ તરી જવાના,
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના,દુનિયા થી દીલ ના ચારે છેડા ભરી જવાના ,
છોને ફર્યા દિવસો , અમે નથી ડરી જવાના , એ શું કરી શક્યા છે એ શું કરી જવાના,
મન માં વીચાર શું છે , અવિરામ કાંઈ દીપક નો પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના,
એક આત્મબળ અમારું દુઃખ માત્ર ની દવા છે ,હર જખ્મ ને નજર થી ટાંકા ભરી જવાના ,
સ્વયં વિકાસ છીએ , સ્વયં વિનાશ છીએ, સ્વયં ખીલી જવાના , સ્વયં ખરી જવાના ,
સમજો છો શું અમને , સ્વયં પ્રકાશ છીએ , દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના ,
એ કાળ થાય તે કરી લે તું , થાય તે કરી લે ,ઈશ્વર જેવો ધણી છે , થોડા મરી જવાના ,
યાંત્રિક છે આ જમાનો , ફાવે છે વેગ વાળા ,એ યુગ ગયા , વિચારી પગલા ભરી જવાના,
દુનિયા શું કામ અમને ખાલી મિટાવી રહી છે , આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના .
Leave a Reply