રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના

રસ્તો   નહિ  જડે  તો   રસ્તો કરી   જવાના ,થોડા  અમે  મૂંઝાઈ  મન  માં   મારી  જવાના ,

નિજ  મસ્ત   બની   જીવન   પૂરું   કરી   જવાના ,બિંદુ  મહી  ડૂબી  ને  સિંધુ  તરી  જવાના,

કોણે   કહ્યું   કે  ખાલી   હાથે   મરી  જવાના,દુનિયા  થી  દીલ  ના  ચારે  છેડા ભરી  જવાના ,

છોને  ફર્યા  દિવસો , અમે  નથી  ડરી  જવાના ,  એ શું   કરી  શક્યા છે  એ  શું  કરી  જવાના,

મન  માં  વીચાર  શું  છે , અવિરામ   કાંઈ  દીપક નો  પ્રકાશ  આંધીઓ  માં  પણ  પાથરી  જવાના,

એક  આત્મબળ  અમારું  દુઃખ  માત્ર  ની  દવા  છે ,હર   જખ્મ  ને   નજર  થી  ટાંકા ભરી  જવાના ,

સ્વયં  વિકાસ  છીએ , સ્વયં  વિનાશ  છીએ,  સ્વયં  ખીલી જવાના ,  સ્વયં  ખરી  જવાના ,

સમજો  છો  શું  અમને , સ્વયં  પ્રકાશ  છીએ , દીપક  નથી  અમે  કે  ઠાર્યા ઠરી  જવાના ,

એ  કાળ  થાય  તે  કરી લે તું , થાય  તે  કરી લે ,ઈશ્વર  જેવો  ધણી  છે , થોડા  મરી જવાના ,

યાંત્રિક  છે   આ જમાનો , ફાવે  છે  વેગ  વાળા ,એ  યુગ  ગયા , વિચારી  પગલા  ભરી  જવાના,

દુનિયા  શું કામ  અમને  ખાલી   મિટાવી  રહી છે , આ  ખોળિયું   અમે  ખુદ  ખાલી   કરી   જવાના .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply