સરનામું મંદિરનું 

લઇ કદીય સરનામું મંદિરનું 

હવે મને ભટકવું નથી,

જાણીલો, પ્રસાદ સિવાય 

ત્યાં કઈજ મળતું નથી.
અમસ્તી થાય છે ભીડ,

તારા નામથી આ કતારમાં,

થાય કસોટી તારી,

એ પગથીયું કદી ચઢવું નથી.
હશે મન સાફ, તો 

અંતરમાં બિરાજે છે તું આપોઆપ,

દીધું છેને દેશે જ,

ભલામણ જેવું કંઈજ કરવું નથી.
હજી માણસ જ સમજ્યો છે ક્યા,

માણસની ભાષા?

તારામાં લીન થાઉં,

એથી વિશેષ માણસ બનવું નથી..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply