લઇ કદીય સરનામું મંદિરનું
હવે મને ભટકવું નથી,
જાણીલો, પ્રસાદ સિવાય
ત્યાં કઈજ મળતું નથી.
અમસ્તી થાય છે ભીડ,
તારા નામથી આ કતારમાં,
થાય કસોટી તારી,
એ પગથીયું કદી ચઢવું નથી.
હશે મન સાફ, તો
અંતરમાં બિરાજે છે તું આપોઆપ,
દીધું છેને દેશે જ,
ભલામણ જેવું કંઈજ કરવું નથી.
હજી માણસ જ સમજ્યો છે ક્યા,
માણસની ભાષા?
તારામાં લીન થાઉં,
એથી વિશેષ માણસ બનવું નથી..
Leave a Reply