Category: સુવીચાર

  • આંખ

    આંખ માં અમી તો દુનિયા ગમી ,જીભ માં અમી તો દુનિયા નમી .

  • માતૃભાષા

    માતા થી બાળક ને અલગ ન કરી દેવાય એમ અભણ માણસ પણ સમજે છે ,પરંતુ માતૃભાષા થી બાળક ને દુર ન કરી દેવાય એમ  ભણેલાઓ  પણ સમજતા નથી .

  • દર્પણ

    તમારા વાણી અને વર્તન એ તમારા વ્યક્તિત્વ નું દર્પણ છે જે કયારેય ખોટું નથી બોલતું .

  • જીવન

    સારા વાક્યો લખવા થી કે વાંચવા થી સારૂ જીવન નથી જીવાતું સુવાક્યો નો જીવન માં અમલ કરી ને જ જીવન ને સારું બનાવી શકાય છે .

  • પ્રેમ

    આપનાર અને મેળવનાર બન્ને ને આનંદ આપે એ નું નામ પ્રેમ .  

  • કાંકરી

    હ્રદય માં રહેલ હું એક એવી કાંકરી છે જેનો ભાર પર્વત જેટલો મોટો હોય છે .

  • કરિયાવર

    સદાચરણ અને સુયોગ્ય વ્યવહાર એ ઉત્તમ કરિયાવર છે .

  • ભાષા

    ભાષા ,ભૂષા અને ભોજન આપણી સંસ્કૃતિ ને પોષક હોવા જોઈએ .

  • યોગ

    પરિસ્થિતિ દુઃખ ની હોય કે સુખ ની , ગમતી હોય કે અણગમતી ,હાર્યા કે થાક્યા વીના પ્રાપ્ત પરિસ્થિતિ ને હ્ર્દય થી સ્વીકારી નિર્લેપ ભાવે જીવવું તેનું નામ યોગ .

  • માવતર એ જ મંદીર

    જીવતા માબાપ ને સ્નેહ થી સાંભળશો , ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવા નો શું અર્થ ? સાથે બેસી જમવા ની ઈચ્છા એમની પ્રેમ થી પુરી કરો , પછી ગામ આખા ને લાડવા જમાડવા નો શું અર્થ .? વહાલ ની વર્ષા કરનારા ને વહાલ થી ભીજવી દેજો , ચીર વિદાય પછી આંસુ સારવા નો શું અર્થ ?…