Category: સુવીચાર
-
આંખ
આંખ માં અમી તો દુનિયા ગમી ,જીભ માં અમી તો દુનિયા નમી .
-
માતૃભાષા
માતા થી બાળક ને અલગ ન કરી દેવાય એમ અભણ માણસ પણ સમજે છે ,પરંતુ માતૃભાષા થી બાળક ને દુર ન કરી દેવાય એમ ભણેલાઓ પણ સમજતા નથી .
-
દર્પણ
તમારા વાણી અને વર્તન એ તમારા વ્યક્તિત્વ નું દર્પણ છે જે કયારેય ખોટું નથી બોલતું .
-
જીવન
સારા વાક્યો લખવા થી કે વાંચવા થી સારૂ જીવન નથી જીવાતું સુવાક્યો નો જીવન માં અમલ કરી ને જ જીવન ને સારું બનાવી શકાય છે .
-
પ્રેમ
આપનાર અને મેળવનાર બન્ને ને આનંદ આપે એ નું નામ પ્રેમ .
-
કાંકરી
હ્રદય માં રહેલ હું એક એવી કાંકરી છે જેનો ભાર પર્વત જેટલો મોટો હોય છે .
-
કરિયાવર
સદાચરણ અને સુયોગ્ય વ્યવહાર એ ઉત્તમ કરિયાવર છે .
-
ભાષા
ભાષા ,ભૂષા અને ભોજન આપણી સંસ્કૃતિ ને પોષક હોવા જોઈએ .
-
યોગ
પરિસ્થિતિ દુઃખ ની હોય કે સુખ ની , ગમતી હોય કે અણગમતી ,હાર્યા કે થાક્યા વીના પ્રાપ્ત પરિસ્થિતિ ને હ્ર્દય થી સ્વીકારી નિર્લેપ ભાવે જીવવું તેનું નામ યોગ .
-
માવતર એ જ મંદીર
જીવતા માબાપ ને સ્નેહ થી સાંભળશો , ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવા નો શું અર્થ ? સાથે બેસી જમવા ની ઈચ્છા એમની પ્રેમ થી પુરી કરો , પછી ગામ આખા ને લાડવા જમાડવા નો શું અર્થ .? વહાલ ની વર્ષા કરનારા ને વહાલ થી ભીજવી દેજો , ચીર વિદાય પછી આંસુ સારવા નો શું અર્થ ?…