Category: સુવીચાર
-
પ્રેમ
પ્રેમ ને લખી ,વાંચી , સાંભળી કે વર્ણવી શકાતો નથી , ફક્ત અનુભવી શકાય છે .
-
કર્મ
કોઈ પણ વ્યક્તિ જન્મ થી નહી પણ તેનાં કર્મો થી મહાન બને છે .
-
કરુણા
જે હ્રદયે કરુણા છોડી ,તેની કીમત છે ફૂટી કોડી .
-
વાંક
કોઈ ને પોતાનો વાંસો અને વાંક દેખાતા નથી .
-
સોંદર્ય
સોંદર્ય જોનાર ની આંખ માં હોય છે .
-
જગત
જગત ને આપણે બદલી નથી શકવાના ,આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે .
-
જિંદગી
મીણ જેવી છે આપણી જિંદગી જે દુઃખ ના જરા અમથા તાપ થી પીગળવા લાગે છે .
-
મિત્રો
સારા સમય માં મિત્રો આપણ ને ઓળખે છે અને નબળા સમય માં આપણે મિત્રો ને ઓળખતા થઈએ છીએ .
-
સંસારી
આ સંસારી ખેલ ના , સર્વે ઉધામા મેલ , રેતી પીલે ના કદી ,ટીપું ટપકે તેલ .
-
પરિચય
વ્યક્તિ નો પરિચય ચહેરા થી થાય છે , પણ તેની ઓળખ વાણી થી થાય છે .