Category: સુવીચાર
-
બળવાન
મુશ્કેલીઓ આપણ ને હમેશા બળવાન બનાવે છે .
-
ધીરજ
પ્રગતિ વખતે સાવચેતી અને પડતી વખતે ધીરજ રાખવી જોઈએ .
-
ઝગડો
ઝગડો અને ઝરણું બંને નું મૂળ નાનું હોય છે પણ ધીમે ધીમે વિશાળ બને છે .
-
બુદ્ધિશાળી
બુદ્ધિશાળી વ્યક્તિ ને જેટલી તકો મળે છે એથી વિશેષ તકો એ ઉભી કરે છે .
-
જગત
જીભ ને જીતનાર વ્યક્તિ જગત ને જીતી શકે છે .
-
પ્રેમ
પ્રેમ ના શુદ્ધ દૂધ ને વહેમ નું એક ટીપું ફાડી નાખે છે .
-
પ્રેમ
વેર ની વસુલાત થી વેર વધે , પ્રેમ ની કબુલાત થી પ્રેમ વધે .
-
સફળતા
આપણો આજ નો દૃઢ સંકલ્પ એ આવતી કાલ ની સફળતા છે .
-
મૈત્રી
સાચી મૈત્રી સુખનો ગુણાકાર અને દુઃખ નો ભાગાકાર કરે છે .
-
વાણી
પ્રેમાળ અને મધુર વાણી બોલવા માટે કાંઈ ખર્ચ કરવો પડતો નથી .