Category: સુવીચાર

  • ચિંતન

    ‘ચિંતન ‘ ની જીવન મા અસર ન થાય તો સમજવું કે આપણાં માં કાંઈક કસર છે .

  • ફરિયાદ

    આનંદિત જીવન માટે સુખ ને બહુ યાદ ન કરો દુઃખ ની બહુ ફરિયાદ ન કરો .

  • અહેસાન

    માણસ પાસે ક્યારેય કાંઈ ન માંગવું , એ થોડું આપશે ને તોય અહેસાન નો ભાવ રાખશે, માંગવું જ પડે તો ઈશ્વર પાસે માંગવું ,એ કોઈ ને નહી કહે અને ઝાઝું આપશે .

  • આચરણ

    આચરણ વગર ના ઉપદેશ ની કોઈ અસર થતી નથી .

  • સત્કાર્ય

    કોઇપણ સત્કાર્ય કરવા માટે લોકો શું કહેશે ની ચિંતા ક્યારેય ન કરવી .

  • આળસ

    આળસ જીવન નો સૌ થી મોટો શત્રુ છે .

  • લક્ષ્મી

    લક્ષ્મી આવે ત્યારે છાતી માં લાત મારે એટલે માણસ અક્કડ ચાલે અને જાય ત્યારે પીઠ પર લાત મારે એટલે માણસ ઝુકી જાય .

  • અંતર

    દરેક વ્યક્તિ સાથે એટલું અંતર જરુર રાખવું જોઈએ કે તેનાં અવગુણ ની સંબંધ ઉપર અસર ન થાય .

  • ગીતા સંદેશ

    કર્મ કર્યા વગર કાંઈ મળતું નથી , કરેલું ફોગટ જતું નથી , કામ કરવા ની શક્તિ તારા માં છે , કર્મ કરતો રહે , ફળ ઈશ્વર ની ઈચ્છા પ્રમાણે મળશે .

  • પરમાત્મા

    પરમાત્મા નું સરનામું દીલ છે ,દિમાગ નહી .