Category: સુવીચાર
-
દુઃખ નું ઓસડ દહાડા
દુઃખ નું ઓસડ દહાડા ને રોગ નું ઓસડ કાઢા.
-
વૃક્ષ ગમે તેટલું વિશાળ બને
વૃક્ષ ગમે તેટલું વિશાળ બને કે ઊંચું વધે પણ તેનાં મૂળિયાં ધરતી થી જોડાયેલા જ રહે છે .
-
ચીલે ચીલે સૌ ચાલે
ચીલે ચીલે સૌ ચાલે ,ચીલો ચાતરે તે શુરવીર .
-
ભોગી બને રોગી
ભોગી બને રોગી અને યોગી રહે નીરોગી
-
રુદિયા માં રામ
રુદિય માં રામ , મુખમાં નામ અને હાથો માં કામ , એ છે સુખ ના ધામ .
-
મૌન એ વાણી નું
મૌન એ વાણી નું તપ છે.
-
પોતાનાં માનેલ જયારે
પોતાનાં માનેલ જયારે પરાયા બની જાય છે,ત્યારે હ્રદય મહી આઘાત લાગી જાય છે.
-
ભૂતકાળ ના ખ્યાલ
ભૂતકાળ ના ખ્યાલો માંથી બહાર નીકળશું તો ભવિષ્ય ભાર વિનાનું બનશે.
-
આપની પાસે કાંઈ ન હોય
આપણી પાસે કાંઈ ન હોય એ કરુણતા નથી, પણ આપણું કોઈ ન હોય એ મોટી કરુણતા છે .
-
પગથીયા ની
પગથીયા ની ખૂબી એ છે કે પોતે સ્થિર રહીને બીજા ને ક્યાંક પહોચાડે છે .