Mindblown: a blog about philosophy.

  • ચતુરાઈ

    ચાતુર્ય અને ચાલાકી વચ્ચે તફાવત છે પુત્રી!આ વિશ્વ ચાલાક છે એમ તું નહી માનતી, એ ચતુર છે એમ માનજે ,અને તું પણ ચતુરાઈ રાખજે .બીજાની પ્રશંસા કરીને કશુક પડાવી લેવું એ ચતુરાઈ નથી, એ તો ચાલાકી છે .બીજાનું સુખ ઓંછું કર્યા વિના,આપણું સુખ જાળવી રાખવું એ ચતુરાઈ છે .બીજાના હિતોને નુકસાન કર્યા વિના પોતાના હિતની…

  • ક્યારે આવશો – શુન્ય પાલનપુરી

    તરસે છે નૈન રાતદિવસ ક્યારે આવશો? મૃગજળ ના બની જાય તરસ ક્યારે આવશો? એક જ મિલનમાં આવાગમન પૂર્ણ થઈ જશે, એક જ મિલન કહી દો કે બસ, ક્યારે આવશો? જીવી રહ્યો છું એમ દિવસ-રાત યંત્રવત જાણે, નથી જીવનમહીં કસ, ક્યારે આવશો? ગઝલો નીરસ, મદીરા નીરસ, જિંદગી નીરસ, ઝંખુ છું શુષ્કતાઓમાં રસ, ક્યારે આવશો? બંડખોર થઈ…

  • દ્વાર હો તો કહી શકો કે બંધ છે

    દ્વાર હો તો કહી શકો કે બંધ છે, ભીત છે ને ભીતથી સંબંધ છે . આંસુ મારા વેચવા જે નીકળ્યો, એ જ મારો ખાસ ભાઈબંધ છે . એક પંખી, એક પિંજર આ તરફ, આ તરફ આકાશ આ નિબંધ છે . હા, બંધુ છોડી દીધું છે આમ તો, આમ તો પાછો ઋણાનુબંધ છે . આ મૃતકની આંખને ના બંધ કર,…

  • આભ

    આભ માફક સાવ ખાલી ને ભરેલો, એટલે ચારેતરફ હું વિસ્તરેલો . એક પળનુંયે તમે મોડું કરો ના, આવશે આગળ હવે એનો જ ડેલો . મખમલી એ વાદળી વરસી જ સમજો, લ્યો, ગહેકે મોર મનમાં ચીતરેલો . આજ કાગળ લાવશે ભીની હવાઓ, ને પછી જો જામશે એનો ઝમેલો . તું મને શોધી શકે તો શોધજે પણ, હું તરજમાં…

  • માત્ર તારા નામના દીવા કરું છું,

    માત્ર તારા નામના દીવા કરું છું, હું હવે ક્યાં સુર્યની પરવા કરું છું.? કોઈના એકાંત વિશે હું લખું છું, ને, મનોમન કેટલો રોયા કરું છું.? છેક તારા ઘર સુધી આવી ગયો છું, કોણ ખોલે બારણું જોયા કરું છું.! ને સ્મરણની ચાંદનીમાં લીન થઈને, શ્વાસ મારા, બે ઘડી ખોયા કરું છું. રોજ પૂછે છે મને વ્હેલી…

  • સ્મૃતિ ચિહ્નો

    પગલુછણીયા પર પગ લૂછીને આ ઓંરડે આવજો . બહારની જંજાળ ધૂળ માટી જેમ છે તેમની તેમ બહાર ભલે રહેતી . આ ઓંરડામાં ક્યારેય નહી લાવતા . તમારા વડદાદા આ ઓંરડામાં રહેતા . તમારાં વડદાદી આ ઓંરડામાં રહેતા . દાદા – દાદી અને બા – બાપુજીએ પણ આ જ ઓંરડામાં જીવન વિતાવ્યું . ગૃહદેવતા રૂપે હું બીજા કોઈનેય ગણતો નથી . જેમને માન્યા છે…

  • મન થાય છે

    મન થાય છે, સમુદ્ર કિનારે બેસીને હવાની થપાટો સહેવાનું . મન થાય છે, જ્યાં એક વયોવૃદ્ધ વડલાદાદા ઊભા છે ત્યાં નિર્જન બપોરે ઘસઘસાટ ઉઘવાનું . વળી એવુંય મન થાય છે … ક્યાંય ન જઈને ફક્ત આ વરંડામાં બેઠાં  બેઠાં સૂર્યોદય – સુર્યાસ્ત જોવાનું કેવી રીતે આ અંધારામાંથી ઉપસી આવે છે આખું આકાશ અને વળી પાછું અંધારામાં ડૂબેય…

  • તારા અંત : કરણની સમૃદ્ધિ

    દુનિયા આખી જંપી ગઈ હોય ત્યારે વહેલી સવારે મારી દીકરી તારી આંખ ઊઘડશે સૂર્યના રથના ઘૂઘરા પૂર્વમાંથી સંભળાય અને પંખીઓં પોતાના માળા છોડી ગુંજન કરતા ઉડી નીકળે એ પહેલાં મારી દીકરી, તું જાગી જજે, નવા શરૂ થતા દિવસમાં સુખની રંગોળી પૂરવા માટે તું તારા વિશ્રામને જતો કરજે . સવારે અને સાંજે કુદરતની સામે સહેજ ઢળતા મસ્તકે, શાંત ચિત્તે તું…

  • જન્મદિવસ

    ઈ . સ . ૧૯૭૧ માં ગાંધીજી વલિયા ગયા હતા . તેમની સાથે મહાદેવભાઈ દેસાઈ હતા . એક દિવસ સવારના સમયે ગાંધીજીએ તેમને રોટી બનાવવાનો આદેશ આપ્યો . તેઓં તો કયારેક ચૂલા પાસે બેઠાય નહોતા . તેઓં બોલ્યા – ` મારાથી કેવી રીતે થશે ?’ ગાંધીજીએ કહ્યું – `વેલણ, લોટ અને પાણી તો છે, પછી કેમ ના…

  • ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ

    ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું, આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું. સંસારની પગથારને કોઇ ઘર નથી, મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી, શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું. હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને, બુધ્ધિ…

Got any book recommendations?