અનુભવ વાણી

સર્વ કુટુંબીજનો તરફથી
એકસરખો સ્નેહ અને આદર પ્રાપ્ત કરવો
એ તારા જીવનનો સૌથી   મોટો પડકાર છે બેટા,
માત્ર આપણે જ હમેશા  સાચા હોઈએ એવું નથી,
બીજાઓ પણ સાચાં હોઈ શકે છે .
ખાસ તો કોઈ પણ વ્યવસ્થામાં આપણે નવા
હોઈએ ત્યારે બધું સમજવા માટે
આપણાં સંસ્કારનું જતન કરીને
આપણી મૌલિકતાને તબક્કાવાર વ્યક્ત કરવામાં
આત્મસૂઝ અને ધીરજની એકસાથે જરૂર પડે છે .
જે બાબતનો આપણે અસ્વીકાર  કરવાનો હોય
તેના વધુ સારા નૌતિક વિકલ્પો આપવાની કળા
આપણે જાતે જ કેળવવી પડે છે .
જિંદગી જયારે યૌવનમાં પ્રવેશે ત્યારે
મારી દિકરી, તારી જ નહી, દુનિયાભરની
દિકરીઓંની અનુભવસૃષ્ટિ બદલાય છે,
ત્યારે જરૂર પડશે  આત્મસૂઝની
અને એ તને તારી પાસેથી જ મળશે, યોગ્ય  સમયે !
જયારે પણ તને મુંઝવણનો અનુભવ થાય
ત્યારે મારી લાડકી,
આપણા ઘરના અને અમારા મનના
દ્વાર તારે માટે હંમેશા ખુલ્લાં છે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply