જેણે આપણ ને

જેણે   આપણ  ને   સમય   આપ્યો    તેનાં   માટે    આપણ   ને   સમય    નથી.  પ્રભુ એ   આપણ  ને  આ ધરતી   પર   નિશ્ચિત   સમય   માટે   મોકલ્યા છે.   મરવા નો   સમય   પણ નક્કી જ છે .આપણ   ને   મળેલા    સમય નો કેવો ઉપયોગ   કરવો  એ   આપણે   વિચારવાનું છે.  એની   આ  જગત   રૂપી  સુંદર    રચના   ને    માણવી    જરૂર    પણ   એમાં    ખોવાઈ   ના  જવાય   એ   ધ્યાન   રાખવું  જોઈએ  .  પરમપિતા    નો  હાથ    પકડી   ને    ફરશું   તો   આ  જગત  ની    મધુરતા   માણી શકીશું.પણ   આપણે   તો   એને  સાવ જ  ભૂલી  ગયા.   ભુલભુલામણી   માં   એવા   ભરમાઈ    ગયા  કે   બહાર  નીકળવાનો    રસ્તો જ ભૂલી   ગયા . સમય  નું  પણ ભાન   ના  રહ્યું  .જીવન અને  મરણ  ના   બે    કાંઠા  વચ્ચે જ અથડાતા  રહ્યા    અને    જીવન   નો    હેતુ   શું   હતો   એ પણ  ભૂલી ગયા.બસ    સમય  નથી  , સમય નથી   ની    ફરિયાદ   કરતા   રહ્યા .શું   પ્રભુ એ આપેલા   ૨૪  કલ્લાક માંથી    ૨૪  મીનીટ    પણ  આપણે   એના   માટે   વાપરીએ  છીએ ? જો ના, તો  વિચારજો કે   તમને    જેના  માટે    સમય   નથી    એને    પણ    તમારા   માટે    સમય   નથી.કાં  કે    કોઈ  ને   શ્વાસ     ઉછીના    મળતા   નથી.માટે જ    સમય   સમય    બળવાન  છે    નહી    મનુષ્ય   બળવાન, કાબે  અર્જુન  લુંટીયો    વહી   ધનુષ   વહી  બાણ. માટે જ   હંમેશા    સંજોગો    સામે    લડો    પણ   સમય     સાથે     સમાધાન    કરો ..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply