મારી એક બચપન ની સખીએ મને વોટ્સેપ પર એક સરસ રચના મોકલી છે .જે હું એના નામ સાથે આપ સૌ સાથે શેર કરું છું .ગમશે ને ?
દાદાજી અમારા વહાલ નો દરિયો ,
ભલે જીવન એમનું રહ્યું ખારું ,,
પણ સિંચ્યા એમણે મીઠા ફળ ના વૃક્ષ…………દાદાજી અમારા વહાલ નો
ભરતી આવી ,ઓટ આવી ,
આવી જીવન માં સુનામી ,
છતાંય સદાય જીવ્યા એ સંઘર્ષ થી ………..દાદાજી અમારા વહાલ નો
મનોબળ એમનું વજ્ર સમું ,
મહેનત માં એ મધમાખી સમ ,
લાડ એમના મીઠા મધ સમ …………………દાદાજી અમારા વહાલ નો
ચડતા પડતા કરોળિયા ની જેમ ,
પંચોતેર વર્ષે સત્તાવન નું જોમ,
ગૂંથ્યું એમણે સુંદર ઘર નું જાળું ………………દાદાજી અમારા વહાલ નો
રચિયતા – જીજ્ઞાસા ચોકસી .
Leave a Reply