બારે રાશિઓ ની પ્રકૃતિ 

શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ કવિતાઓ કે જે બારેય રાશિઓની પ્રકૃતિનું વર્ણન કરે છે. જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો J
1. મેષ
અ લ ઈ રાશિ થઈ મેષ,

દલીલથી થાકે નવ લેશ,

વકીલ, વિતંડાવાદી વેશ,

ભાગ્ય મેળે બાલ્યાવેશ.  
2. વૃષભ
વૃષભ તણી છે બ વ ઉ,

જૂના વિચારોથી ભરપૂર,

લીધી વાત ના મેલે કોર,

જીવનભર સુખ સંપત જોર.
3. મિથુન
મિથુન ક છ ઘ કહેવાય,

બહુ દોડે પણ થાકી જાય,

સેવા માટે સઘળે જાય,

અપજશ માગે વિદાય.
4. કર્ક
કર્ક કહે ડ ને હ હું,

કોક મરે તો મારે શું,

કરું કામ મારું ચૂપચાપ,

મને ન ઓળખે મા ને બાપ.
5. સિંહ
સિંહ સમોવડ મ ટ હોય,

સુતાં જગાડી શકે ના કોઈ,

રહે નહિ જો મારી વાત,

લાખ મળે તોય મારું લાત.
6. કન્યા
પ ઠ ણ કન્યાના તન,

જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન,

નડે નારને, નર સુખદાય,

એ રાશિ કન્યા સરજાય.
7. તુલા
ર ત તુલાની પહચાન,

ડહાપણનો દરિયો ને ખાણ,

ઠગી શકે ના એને ચોર,

ગણિતમાં નવ એની જોડ.
8. વૃશ્ચિક
વૃશ્ચિક ન ય સાદા જન,

હલે ચલે ના એનું તન,

ક્યારે કરડે જાણે કોણ,

વરસે ત્યારે ઘીનું મોણ.
9. ધનુ
ભ ધ ફ ઢ ધન રાશિ હોય,

સ્વારથમાં પહોંચે નહિ કોઈ,

મધ્યવસ્થા સુખમાં જાય,

ઉત્તરાવસ્થાએ પસ્તાય.
10. મકર
મકર કહે સૌ અમને ભજો,

જખ મારે જગતને તજો,

હું સાચો છું મારો વાદ,

મને બદલતાં મળે ન વાર.
11. કુંભ
કુંભને ભાગે ગ શ જાય,

ઊંઘ કરે કાં ફરવા જાય,

વાંચે વડવાનો ઈતિહાસ,

આળસના દાસાનુદાસ.
12. મીન
દ ને ચ છ મીન મનાય,

સત્તાથી એ નવ ગભરાય,

સંગીતપ્રેમી સર્વે હોય,

જીવનમાં સુખ દુ:ખને જોય.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply