શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ કવિતાઓ કે જે બારેય રાશિઓની પ્રકૃતિનું વર્ણન કરે છે. જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો J
1. મેષ
અ લ ઈ રાશિ થઈ મેષ,
દલીલથી થાકે નવ લેશ,
વકીલ, વિતંડાવાદી વેશ,
ભાગ્ય મેળે બાલ્યાવેશ.
2. વૃષભ
વૃષભ તણી છે બ વ ઉ,
જૂના વિચારોથી ભરપૂર,
લીધી વાત ના મેલે કોર,
જીવનભર સુખ સંપત જોર.
3. મિથુન
મિથુન ક છ ઘ કહેવાય,
બહુ દોડે પણ થાકી જાય,
સેવા માટે સઘળે જાય,
અપજશ માગે વિદાય.
4. કર્ક
કર્ક કહે ડ ને હ હું,
કોક મરે તો મારે શું,
કરું કામ મારું ચૂપચાપ,
મને ન ઓળખે મા ને બાપ.
5. સિંહ
સિંહ સમોવડ મ ટ હોય,
સુતાં જગાડી શકે ના કોઈ,
રહે નહિ જો મારી વાત,
લાખ મળે તોય મારું લાત.
6. કન્યા
પ ઠ ણ કન્યાના તન,
જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન,
નડે નારને, નર સુખદાય,
એ રાશિ કન્યા સરજાય.
7. તુલા
ર ત તુલાની પહચાન,
ડહાપણનો દરિયો ને ખાણ,
ઠગી શકે ના એને ચોર,
ગણિતમાં નવ એની જોડ.
8. વૃશ્ચિક
વૃશ્ચિક ન ય સાદા જન,
હલે ચલે ના એનું તન,
ક્યારે કરડે જાણે કોણ,
વરસે ત્યારે ઘીનું મોણ.
9. ધનુ
ભ ધ ફ ઢ ધન રાશિ હોય,
સ્વારથમાં પહોંચે નહિ કોઈ,
મધ્યવસ્થા સુખમાં જાય,
ઉત્તરાવસ્થાએ પસ્તાય.
10. મકર
મકર કહે સૌ અમને ભજો,
જખ મારે જગતને તજો,
હું સાચો છું મારો વાદ,
મને બદલતાં મળે ન વાર.
11. કુંભ
કુંભને ભાગે ગ શ જાય,
ઊંઘ કરે કાં ફરવા જાય,
વાંચે વડવાનો ઈતિહાસ,
આળસના દાસાનુદાસ.
12. મીન
દ ને ચ છ મીન મનાય,
સત્તાથી એ નવ ગભરાય,
સંગીતપ્રેમી સર્વે હોય,
જીવનમાં સુખ દુ:ખને જોય.
Leave a Reply