ગાંધીજી વિશે ઘણું છે . મેં જે લખ્યું છે, તેમાં કશું નવું નથી . તો પછી ફરી બાપુ વિશે લખવાનો શો અર્થ ? આજે સમાજમાં આર્થિક, સામાજિક, નૈતિક વિગેરે અનેક વિધ કટોકટી સર્જાઈ છે . તેનો ઉપાય ગાંધીજીના વિચારોમાં છે .
આઝાદી મળ્યા પછી ભારતની પ્રજા બાપુને ભૂલવા માંડી . લોકોએ અંગત સ્વાર્થ બાપુના નામનો ઉપયોગ કરવા માંડ્યો . હવે બાપુના નામની પણ લોકોને જરૂર નથી રહી . પ્રથમ ગોડસેએ બાપુને મારી નાખ્યા અને તે પછી સમગ્ર ભારતની પ્રજાએ બાપુને મારી નાખ્યા .
મારું નમ્ર મંતવ્ય છે કે તેનાથી નુકસાન આપણને થયું છે . તેમને જીવતા રાખવામાં રાખવામાં આપણું શ્રેય છે અને પ્રેય પણ છે . મેકેલોએ કારકુનો પેદા કરવા માટે કેળવણીનો ઢાંચો ભારતમાં શરુ કરેલો . ગાંધીજી સમજી ગયેલા કે આ તો પેદા કરવાની કેળવણી છે . તેના ઉપાય રૂપે તેમણે ` પાયાની કેળવણી ‘ નો વિચાર આપે કેળવણી શરુ કરી . આજની બેકારીના મૂળમાં આ કેળવણી છે .
ગાંધીજીએ સાફ શબ્દોમાં કહ્યું હતું : ` ગંજાવર પાયે ઉત્પાદન કરવાની ઘેલછા જ જગતની કટોકટી માટે જવાબદાર છે .’ તેમણે આ કારણે રેટિયાનો પ્રચાર કરેલો . રેટિયો એ રોજી રોટીનું અમોઘ શસ્ત્ર હતું . તેનાથીકરોડો ગામડાં પોષાતા . આજે ગામડાં તૂટવા માંડ્યા છે . શહેરો અતિ વસ્તીથી પીડાય છે . ઘણું બધું કહી શકાય પણ અત્રે અસ્થાને છે .
જે વાત ઉપદેશોમાં મોટાં મોટાં પુસ્તકો નથી સમજાવી શકતા, તે નાનું દષ્ટાંત સચોટ અસર કરે છે . ગાંધીજી કહેતા હતા કે મારું જીવન જ મારો સંદેશ છે .
મહાત્મા ગાંધીજી
by
Tags:
Comments
You must log in to post a comment.