મહાત્મા ગાંધીજી

ગાંધીજી વિશે ઘણું  છે . મેં જે લખ્યું છે, તેમાં કશું નવું નથી . તો પછી ફરી બાપુ વિશે લખવાનો શો અર્થ ? આજે  સમાજમાં આર્થિક, સામાજિક, નૈતિક વિગેરે અનેક વિધ કટોકટી સર્જાઈ છે . તેનો ઉપાય ગાંધીજીના  વિચારોમાં છે .
આઝાદી  મળ્યા પછી  ભારતની  પ્રજા બાપુને ભૂલવા માંડી . લોકોએ અંગત સ્વાર્થ  બાપુના  નામનો ઉપયોગ  કરવા માંડ્યો . હવે બાપુના  નામની પણ  લોકોને જરૂર નથી  રહી . પ્રથમ ગોડસેએ બાપુને મારી નાખ્યા અને તે પછી સમગ્ર ભારતની પ્રજાએ બાપુને મારી નાખ્યા .
મારું નમ્ર મંતવ્ય છે કે તેનાથી નુકસાન આપણને થયું છે . તેમને જીવતા રાખવામાં રાખવામાં આપણું શ્રેય છે અને પ્રેય પણ છે . મેકેલોએ કારકુનો  પેદા  કરવા માટે કેળવણીનો ઢાંચો ભારતમાં શરુ  કરેલો . ગાંધીજી સમજી ગયેલા કે આ તો  પેદા કરવાની કેળવણી છે . તેના ઉપાય  રૂપે તેમણે `  પાયાની કેળવણી ‘ નો વિચાર આપે કેળવણી શરુ કરી . આજની  બેકારીના મૂળમાં આ કેળવણી છે .
ગાંધીજીએ સાફ શબ્દોમાં કહ્યું  હતું : ` ગંજાવર પાયે ઉત્પાદન કરવાની ઘેલછા જ જગતની કટોકટી માટે જવાબદાર છે .’ તેમણે આ કારણે  રેટિયાનો પ્રચાર કરેલો . રેટિયો એ રોજી રોટીનું અમોઘ શસ્ત્ર હતું . તેનાથીકરોડો ગામડાં પોષાતા . આજે ગામડાં તૂટવા માંડ્યા છે .  શહેરો અતિ વસ્તીથી પીડાય છે .  ઘણું બધું   કહી શકાય પણ અત્રે અસ્થાને છે .
જે વાત ઉપદેશોમાં મોટાં  મોટાં પુસ્તકો નથી સમજાવી શકતા, તે નાનું દષ્ટાંત  સચોટ અસર કરે છે .  ગાંધીજી કહેતા હતા કે મારું જીવન જ મારો સંદેશ છે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: