અમારા એક સંબંધીએ વોટ્સ અપ પર એક ગઝલ મોકલી છે .મને ગમી ગઈ એટલે આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું .
માણસ ને ખોતરો ને ખજાનો નીકળે ,
સાચવી ને સંઘરેલો એક જમાનો નીકળે .
મળે કશે આખી જિંદગી દટાયેલી ,
થાય બેઠીબસ એક જન જો પોતાનો નીકળે .
જરૂરી નથી કે સીધા દેખાતા જ સારા હોય ,
કદી કોઈ અડીયલ પણ મજાનો નીકળે .
રખે માનશો હેવાનિયત હેવાનો જ કરે ,
કદી સજ્જન માંથી ય ઘણાં શેતાનો નીકળે .
ઘા બધે જ મળે છે ચાહે તેને ખોતરો ,
કદી અંદર કે કદી બહાર નિશાનો નીકળે .
કાંઈ જ નક્કી નથી આ તો માણસ કહેવાય ,
બહાર થી પોતાનો ,અંદર થી બીજાનો નીકળે .
ગઝલકારનું નામ નથી ખબર એટલે લખ્યું નથી કોઈ ને ખબર હોય તો કહેશો જરૂર લખીશ .
Leave a Reply