એક વાચક મિત્ર ડૉ મુકેશ જોષી એ મને એમની સ્વ રચિત ગઝલ ઈમેલ થી મોકલી છે. એ ગઝલ આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું .આશા છે આપ સૌ ને જરૂર ગમશે .
રાતભર સુરજ ને હું જગાડી ના શક્યો ,
ચાંદની ની મજા તેણે ચખાડી ના શક્યો .
આ બધુ દેખાય છે તે પાસ છે કે આભાસ છે ,
માટલું મૃગ જળ નુ હું ભરાવી ના શક્યો .
વાત તો ઈશ્વર ની સાથે હું રોજ કરતો રહ્યો ,
એકે યે વાત મારી એને મનાવીના શક્યો .
લાગણી તો ખુબ હતી ,દેખાત પણ ખરી ,
હોવાથી દિલ મોટું ,હું છલકાવી ના શક્યો .
વાંક તો બીજો કશોય એનેય ક્યાં મળ્યો ?
દરેક વાત માં હું ડોકું હલાવી ના શક્યો .
કડવી લાગી છે એટલે સાચી ય હોઈ શકે ,
મહેફિલ માં એકે ય તાળી હું પડાવી ના શક્યો .
Leave a Reply