શું તમે તમારા પોતાના મિત્ર છો ?

મિત્રતા દિવસ ના અવસર ઉપર આપણે આપણા મિત્રો ને યાદ કરતા હોઈએ છે એસએમએસ,શુભેચ્છા શાયરી મોકલતા હોઈએ છે .અને ખુશ થતા હોઈએ છે .મિત્રો ભેગા મળી પાર્ટી મનાવતા હોય છે .બધુ સારું જ છે ના નથી પણ શું તમે તમારા પોતાના મિત્ર છો ?શું ક્યારેય એ વિચાર કર્યો છે ?  કોઈ ને દોસ્ત કે દુશ્મન માનવા ને બદલે આપણે આપણા જ દુશ્મન કે દોસ્ત હોઈ શકીએ .બરાબર ને !પ્રભુ એ આપણ ને જે તન મન ધન આપ્યા છે એનો જ સદુપયોગ કે દુરુપયોગ કરી ને આપણે આપણા દોસ્ત કે દુશ્મન બની શકીએ .પહેલા તો તન ની જ વાત કરું તો કેટલો અત્યાચાર કરીએ છીએ આપણે પોતાના શરીર ઉપર ?ન કરવા ના કેટલાય કામ કરીએ અને પછી ડોક્ટર પાસે દોડીએ .માન, મરતબો , રીત રીવાજ ,ધન પ્રાપ્તિ માટે કૈ કેટલીય દોડાદોડી ને ભાગાભાગી .રાતે સુવું ને સવારે વહેલા ઉઠી દૈનીક કાર્યો કરવા એનાથી ઉલટા કાર્યો કરીએ .રાતે મોડા સુધી જાગવું ,ફરવું, ટીવી જોવું અને સવારે મોડા ઉઠી દિનચર્યા બગડવી અને પછી એકબીજા ઉપર દોષારોપણ કરી ઘર નું ,કે ઓફીસ નું વાતાવરણ તંગ કરવું આખો દિવસ કામ પુરા ન થવા ને લીધે ટેન્સન માં રહેવું .બીજું બહાર નું જે તે ખાવું .ઘર ની રસોઈ કે હેલ્ધી ખોરાક જમવાને બદલે બહાર નો વાસી ,તીખો તમતમતો ખોરાક ખાવો .દૂધ લસ્સી નારિયેલ પાણી કે છાસ ,લીંબુ શરબત વગેરે પીવાને બદલે ઠંડા પીણા પીવા .આ બધુ કરી ને તમે એજ સાબિત કરો છો કે તમે જ તમારા દુશ્મન છો .અને ડોક્ટર ના મહેમાન .

જે પોતાનો મિત્ર ના બની શકે એ બીજા નો મિત્ર શું બનવાનો ?જે પોતાની જાત સાથે મૈત્રી ના નિભાવે એ બીજાની સાથે શું દોસ્તી નિભાવશે?પોતે જ ખોટા રસ્તે દોડતી વ્યક્તિ મિત્ર ને સાચી રાહ શું બતાવશે ? વિચારવા જેવું છે ને ?

હવે મન ની વાત કરું તો જેનું તન તંદુરસ્ત નથી તેનું મન કેવું હોય અને જો સારું મન હોય ,સારા વિચારો હોય તોય દુર્બલ તન સારા કર્મો કરવા માટે સાથ ક્યાંથી આપશે? તન અને મન તો સિક્કા ની બે બાજુ જેવા છે .તન અને મન બેઉ સારા ના હોય એવી વ્યક્તિ નો કોણ ભરોસો કોણ કરે ?અને એ વ્યક્તિ મિત્રતા કેવી રીતે નિભાવે અને શું સાચી સલાહ આપે .પછી તો આવ ભાઈ હરખા ને આપણે બેઉ સરખા જેવો  જ ઘાટ થાય .જો પાયો જ નબળો હોય તો ઈમારત ક્યાંથી મજબુત થાય ? ક્યારેક તો એવું બને કે વૈભવશાળી દોસ્તો ને લીધે ગેરમાર્ગે  દોરાઈને ભટકી જવાય અને પાછા ફરીએ ત્યારે બહુ મોડું થઇ ગયું હોય .

દુશ્મન ના કરે દોસ્ત ને વો કામ કિયા હૈ ,ઉમ્ર ભરકા ગમ હમે ઇનામ દિયા હૈ .

હવે તમે જ નક્કી કરો કે તમે પહેલા તો તમારા પોતાના મિત્ર છો ? તમે તમારા તન મન અને ધન નો સદુપયોગ કરો છો ? જો ના તો તમે બીજા કોઈ ના પણ સારા મિત્ર ના હોઈ શકો કારણ જે પોતાનું ભલું ના કરે એ બીજા નું શું ભલું કરશે ?રાહ ભૂલેલો પોતે દોસ્ત ને શું સાચી રાહ બતાવશે કે મદદ કરશે ?જેને પોતાની જાત ઉપર ભરોસો નથી ,પોતાના ઉપર પ્રેમ નથી એ બીજા ને શું પ્રેમ કરશે ?   મિત્ર તો એ કે જે પોતાના રાહ ભૂલેલા મિત્ર ને સાચી દિશા દેખાડે અને એની દશા સુધારે .

કૈ વાંધો નહી હવે જગ્યા ત્યાંથી સવાર એ ન્યાએ તમારા પોતાના મિત્ર બનવાનું પહેલા શરુ કરી દો .તન મન પ્રસન્ન રહે એવા કાર્યો કરો .આંધળું અનુકરણ છોડી સાચી વાટ પકડી લો  .તન અને મન બને તંદુરસ્ત રહે એવો પ્રયત્ન કરો .અને તમારી જાત ને પ્રથમ પ્રેમ કરો ,એની સાથે દોસ્તી કરો .તન મન એકમેક ને સાથ આપશે અને તમે જ તમારા સાચા મિત્ર બની જશો .પ્રસન્ન રહેવાની ગુરુ ચાવી જડી જાય પછી દોસ્ત કોઈ ના હોય તો ય તમે એકલતા નહી અનુભવો કારણકે તમે જ તમારા દોસ્ત ને તમે જ તમારા દુશ્મન .

આપ સો વહાલા વાચક મિત્રો ને મિત્રતા દિવસ મુબારક .

– માયા રાયચુરા


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: