સંવાદ

માનવ  – ભગવાન  મને કરોડપતિ બનાવી દો .

ભગવાન – વત્સ તું તો કરોડપતિ જ છે ને .

માનવ – શું પ્રભુ ? મારી પાસે લાખ રૂપિયા નથી ને તમે કરોડપતિ કહો  છો ?

ભગવાન – વિચારી ને ગણતરી કરી જો ,તારા બધા અંગો અમુલ્ય  છે પણ કીમત મૂકી જો .

હ્ર્દય ,ફેફસા , જ્ઞાનતંત્ર ,જઠર , હાથ પગ , આંખો ,કાન નાક એની કીમત કેટલી ગણાય ?

માનવ – એમાં શું ,એ તો તમે બીજા પ્રાણીઓ ને પણ આપ્યા છે .

ભગવાન – તું ભૂલે છે ,હાથી કે ડાયનોસોર કરતાંય મોટું મગજ તને આપ્યું છે ,વળી  લાગણી પ્રેમ બુદ્ધી એપણ બીજા કરતા તારી પાસે વધારે છે એનો તું ખુબ ઉપયોગ કરી સારું જીવન જીવી શકે છે .આનાથી વધુ શું જોઈએ ?

માનવ – એ  તો બધું ઠીક છે ,

ભગવાન – તો તારે જે  ન જોઈએ  તે પાછુ આપી દે .એના બદલામાં  એના તને રોકડા રૂપિયા મળશે .

માનવ – આ લાગણી , રાત ની ઊંઘ આ હ્રદય  બધું પાછું લો .

ભગવાન – તથાસ્તુ . આના બદલામાં તનેએટલા રૂપિયા મળશે .પણ એ રૂપિયા થી તું સુખી નહી શકે કા કે એને અનુભવી શકાય એ અંગો તો તે પરત કર્યા છે .એનાથી તને અનિંદ્રા , બ્લડપ્રેશર ,ડાયાબીટીશ , મંદબુદ્ધિ , લકવા જેવા રોગો  જરૂર મળશે .

હવે તમે વિચારી જો જો કે તમારે શું પાછુ આપવું છે ? કે પછી ભગવાને જે આપ્યું છે તેને ખુશી થી માણવું છે ? વીચારો  વીચારો  નિરાંતે વીચારો .

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: