Author: shilpa thakkkar

  • કાર્ય અને કર્મ

    અછાંદસ કાવ્ય – જેમ કોઈ નદી પોતે પાણી પીતી નથી અને કોઈ વૃક્ષ પોતે ફળ ખાતાં નથી તે જ રીતે મારી પુત્રી , સજ્જનો અને સન્નારીઓં પોતાની જિંદગીની શ્રેષ્ઠ ઉપલબ્ધિઓં સહુને આપવા તત્પર રહે છે. પરોપકાર જ્યાં સુધી સ્વભાવ ન બને ત્યાં સુધી આપણે કરેલી સેવાઓ માત્ર કાર્ય જ બની રહે છે મારી દીકરી . […]

  • ચાઈનીઝ કોર્ન પકોડા

    ચાઈનીઝ  કોર્ન પકોડા  (5 થી 6 વ્યક્તિ) (1) 500 ગ્રામ મકાઈ (2) 1 ટેબલ સ્પૂન કોર્નફલોર (3) 1/2 ટી સ્પૂન મરીનો ભૂકો  (4) 1/2 કપ દૂધ (5) 1 ટી સ્પૂન સોયાસોસ (6) 1 ટી સ્પૂન ચીલી સોસ (7) 1 નંગ ડુંગળી (8) 1 નંગ કેપ્સીસમ (9) 1/4 કપ મેંદો (10) સેન્ડવીચ બ્રેડ (11) તેલ પ્રમાણસર […]

  • અકળામણ

    વાદળ થઈ આવ્યા છો તોય તમે કેમ નથી વરસી પડવાનું નામ લેતા ? આકાશે ખાલી શું રખડ્યાકરો છો ? જેમ ચૂટણીમાં રખડે છે નેતા. આખ્યુંમાં  આંસુનાં વાવેતર થઈ ગ્યા છે તમને જરાય એનો ખ્યાલ છે ? નહિતર ચોમાસું આવું મોંઘું ના થાય,  લાગે છે વચ્ચે દલાલ છે. ઈશ્વર પણ રાષ્ટ્રપતિ જેવા થઈ ગ્યા છે કાન […]

  • શાને યાદ આવે છે ?

    શાને યાદ આવે છે ? મનડા ને શેની યાદ આવે છે ? જિંદગી તો છે ઘણી લાંબી, સફર કેરી યાદ સતાવે છે. મળ્યો, મનખા – મોંઘો મેળો, માનવ મોજથી મનાવે છે `વિશ્વ વાટિકા ‘ તણી `વાંકડી ગલી ‘ અહી ભમી – ભટકી, વ્યથા કહાવે છે. સ્વ જીવન જીવી પરિવાર – પડોજણ પારખવામાં ફરજ પરસ્તીનું ભાન […]

  • મકરસંક્રાંતિ

    મકરસંક્રાંતિ આજથી ચાર પાંચ દાયકા પહેલા જયારે સમાજ હજુ એકસૂત્રે બંધાયેલ હતો ત્યારે નવા વર્ષના દિવસે કે અન્ય તહેવારોએ જુના વેરઝેર ભૂલી જે એકબીજાનો હાથ ઝીલી, મિત્રતા કે સંબંધોની નવી શરૂઆત કરવામાં ગૌરવ અનુભવી સમાજ એને પ્રોત્સાહિત પણ કરતો. આવા  ઉત્સવો સબંધ ના સેતુને પુનઃનિર્મિત કરવામાં અગ્રેસર રહેતા. આ બધાં  તહેવારોમાં મકરસંક્રાંતિ તહેવાર અલગ જ […]

  • અનુભવ વાણી

    સર્વ કુટુંબીજનો તરફથી એકસરખો સ્નેહ અને આદર પ્રાપ્ત કરવો એ તારા જીવનનો સૌથી   મોટો પડકાર છે બેટા, માત્ર આપણે જ હમેશા  સાચા હોઈએ એવું નથી, બીજાઓ પણ સાચાં હોઈ શકે છે . ખાસ તો કોઈ પણ વ્યવસ્થામાં આપણે નવા હોઈએ ત્યારે બધું સમજવા માટે આપણાં સંસ્કારનું જતન કરીને આપણી મૌલિકતાને તબક્કાવાર વ્યક્ત કરવામાં આત્મસૂઝ અને […]

  • મહાત્મા ગાંધીજી

    ગાંધીજી વિશે ઘણું  છે . મેં જે લખ્યું છે, તેમાં કશું નવું નથી . તો પછી ફરી બાપુ વિશે લખવાનો શો અર્થ ? આજે  સમાજમાં આર્થિક, સામાજિક, નૈતિક વિગેરે અનેક વિધ કટોકટી સર્જાઈ છે . તેનો ઉપાય ગાંધીજીના  વિચારોમાં છે . આઝાદી  મળ્યા પછી  ભારતની  પ્રજા બાપુને ભૂલવા માંડી . લોકોએ અંગત સ્વાર્થ  બાપુના  નામનો […]

  • અકથ્ય ધીરજ

    કોઈ વિદ્વાન જીજ્ઞાસુએ એક શિક્ષકને પ્રશ્ન કર્યો : ` વિદ્યાર્થીઓંને એકની એક વાત વીસ વખત કહેતાં તમને કંટાળો નથી આવતો ? ‘ શિક્ષકે શાંત ચિતે ઉતર આપ્યો : ` ઓંગણીસ વખત કહેલું નકામું ન જાય એટલે વીસમી વખત કહું છું !’ આ વિષયના સંદર્ભમાં કાકાસાહેબ કાલેલકર કહે છે કે, `કેળવણી એક લડત છે .’ શિક્ષકોનો […]

  • સત્યની ઉપાસના

    ગમે તેવું વિરાટ કે વિકરાળ સત્ય હોય તું નિર્ભયતાથી યોગ્ય સમયે એનો ઉચ્ચાર કરજે . દિકરી, થોડુંક ખોટું બોલી લેવાથી અનેક મુશ્કેલીઓંમાંથી બચી જવાય છે એ તો હળાહળ ભ્રમ છે, એમ માનીને જે લોકોએ થોડા સમય માટે ખોટું બોલવાની શરૂઆત કરી તેઓં તો આ સંસારના જંગલમાં ખોવાય ગયા છે . બોલાતા સત્યને તું ઝાલી રાખીશ […]

  • જાદુઈ રૂમાલ

    બીજાના દુઃખનો વિચાર : મારી દિકરી, બાળક હોવું અને બાળપણથી વંચિત રહેવું એના જેવો બીજો કોઈ  અભિશાપ નથી . આ  દુનિયામાં અસંખ્ય બાળકો એક પણ રમકડાં  વિના ઊછરી રહ્યા છે એનો તું કદીક વિચાર કરજે . જયારે તારી આંખ સામે ભોજનથાળ હોય . ત્યારે ઝૂપડીમાં માં પાસે ટળવળતા ભૂખ્યા ચહેરાઓને તું સંભારજે . ઘણાં બાળકોને […]