Category: ટીપ્સ

  • ખજુર

    રોજ ૨ પેશી ખજુર ખાવા થી હિમોગ્લોબીન વધે છે .

  • ઘડપણ

    બાળપણ નું ખાધેલું અને જવાની નું કમાયેલું ઘડપણ માં કામ આવે.

  • કેળા

    કેળા મા નાનો કાપો મૂકી ૨ એલચી ના દાણા અંદર ભરી આખી રાત રહેવા દઈ બીજે દિવસે એ કેળુ ખાવાથી સરળતા થી પચે છે અને શરદી ખાંસી પણ નથી થતા .

  • કમળકાકડી

    રોજ સવાર સાંજ જમ્યા પછી ૨ કમળકાકડી ખાવાથી  મગજ ની કાર્ય ક્ષમતા વધે છે .કમળ કાકડી નો અંદર નો લીલો ભાગ કાઢીનાખવો .

  • મગ

    મગ ચલાવે પગ . એટલે કે રોજ બાફેલા , ઉગાડેલા મગ નો ઉપયોગ કરવાથી શરીર  તંદુરસ્ત રહે છે અને વજન પણ ઘટે છે .

  • બદામ

    ૨ બદામ ને રોજ રાતે  પાણી માં  પલાળી   છાલ ઉતારી સવારે ખાવા થી   યાદશક્તિ  સારી થાય છે.

  • આધાશીશી

    ત્રણ  દિવસ સવારે  નરણા કોઠે  ઘી અને ગોળ એક ચમચી  મેળવી  ખાવા થી  આધાશીશી નો દુખાવો મટે છે .

  • રોજ લસણ નો ઉપયોગ કરવાથી

    રોજ લસણ નો ઉપયોગ કરવાથી  લોહી પાતળું રહે છે અને  વાયુ ના રોગો માં પણ રાહત  મળે છે .

  • રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને

    રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને ખાંડ  નાંખી ઉકાળેલું  દૂધ પીવાથી  ઊંઘ  સારી આવે છે અને અનિંદ્રાની  તકલીફ  દુર થાય છે .

  • રવા નો શીરો વધ્યો હોય તો

    રવાનો  શીરો વધ્યો  હોય  તો  તેનું  પુરણ  રોટલી માં  ભરી  ઘી  મૂકી શેકી  લો . સ્વાદિષ્ટ  પુરણપોળી તૈયાર .