Category: ટીપ્સ
-
ખજુર
રોજ ૨ પેશી ખજુર ખાવા થી હિમોગ્લોબીન વધે છે .
-
ઘડપણ
બાળપણ નું ખાધેલું અને જવાની નું કમાયેલું ઘડપણ માં કામ આવે.
-
કેળા
કેળા મા નાનો કાપો મૂકી ૨ એલચી ના દાણા અંદર ભરી આખી રાત રહેવા દઈ બીજે દિવસે એ કેળુ ખાવાથી સરળતા થી પચે છે અને શરદી ખાંસી પણ નથી થતા .
-
કમળકાકડી
રોજ સવાર સાંજ જમ્યા પછી ૨ કમળકાકડી ખાવાથી મગજ ની કાર્ય ક્ષમતા વધે છે .કમળ કાકડી નો અંદર નો લીલો ભાગ કાઢીનાખવો .
-
મગ
મગ ચલાવે પગ . એટલે કે રોજ બાફેલા , ઉગાડેલા મગ નો ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને વજન પણ ઘટે છે .
-
બદામ
૨ બદામ ને રોજ રાતે પાણી માં પલાળી છાલ ઉતારી સવારે ખાવા થી યાદશક્તિ સારી થાય છે.
-
આધાશીશી
ત્રણ દિવસ સવારે નરણા કોઠે ઘી અને ગોળ એક ચમચી મેળવી ખાવા થી આધાશીશી નો દુખાવો મટે છે .
-
રોજ લસણ નો ઉપયોગ કરવાથી
રોજ લસણ નો ઉપયોગ કરવાથી લોહી પાતળું રહે છે અને વાયુ ના રોગો માં પણ રાહત મળે છે .
-
રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને
રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને ખાંડ નાંખી ઉકાળેલું દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે અને અનિંદ્રાની તકલીફ દુર થાય છે .
-
રવા નો શીરો વધ્યો હોય તો
રવાનો શીરો વધ્યો હોય તો તેનું પુરણ રોટલી માં ભરી ઘી મૂકી શેકી લો . સ્વાદિષ્ટ પુરણપોળી તૈયાર .